Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

જૂનાગઢના દામોદરકુંડમાં યાત્રિકો માટે ગરમ પાણીની સુવિધા ઉપલબ્ધ

જુનાગઢઃ પવિત્ર દામોદરકુંડમાં સ્નાન માટે આવતા વૃદ્ધ યાત્રિકોને ગરમ પાણીની સુવિધા મળે તેવા શુભ હેતુથી જયાબેન પ્રાણલાલભાઇ ખીમાણી દ્વારા તેમના સ્વર્ગસથ પતિ પ્રાણલાલભાઇ હંસરાજભાઇ ખીમાણીના સ્મરણાર્થે મુકાવેલ ગીઝરનો લોકાર્પણ કાર્યક્રમ દામોદરકુંડ ખાતે યોજાયેલ. જુનાગઢ મહાનગર સેવા સદનના સહયોગથી તથા તીર્થગોર સમિતિ (નિર્ભયભાઇ પુરોહિત) અને રાધા દામોદર ટેમ્પલ બોર્ડ (નિરવભાઇ પુરોહિત)ના સહકારથી યોજાયેલ આ કાર્યક્રમમાં જૂનાગઢના મેયર ધીરૂભાઇ ગોહેલ, ધારાસભ્ય ભીખાભાઇ જોશી, શાસક પક્ષના નેતા નટુભાઇ પાટોળીયા, પ્રદીપભાઇ ખીમાણી, જગદીશભાઇ ખીમાણી, નરેશભાઇ ખીમાણી, નિર્ભયભાઇ પુરોહિત, એભાભાઇ કાટારા, જિલ્લા શીક્ષણાધિકારી નૈષધભાઇ મકવાણા, બાળ પ્રતિબંધ લગ્ન અધિકારી જીગરભાઇ જસાણી, જતિનભાઇ નાણાવટી, અશોકભાઇ ભટ્ટ, કોર્પોરેટરો તથા વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:46 pm IST)