Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

જૂનાગઢમાં રાજગોર સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન

જૂનાગઢ : રાજગોર બ્રાહ્મણ યુવક મંડળ દ્વારા ગઇકાલે રાજગોર બ્રાહ્મણ વિદ્યાર્થી ભવન ખાતે સ્નેહમિલન અને તેજસ્વી છાત્રોનુ સન્માનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધો.૧ થી ૧૨ના તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ પ્રમાણપત્ર અને શૈક્ષણિક કીટ આપી સન્માનીત કરાયા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ભીખાભાઇ જોશી, પૂર્વ મેયર આદ્યાશકિતબેન મજમુદાર, સમસ્ત બ્રહ્મયુવા સંગઠનના સંસ્થાપક જયદેવભાઇ જોશી, નંદલાલભાઇ બામટા, કેળવણીકાર જયેશભાઇ ભરાડ, અશોકભાઇ પંડયા, શશીકાંતભાઇ બોરીચાંગર, ડો.રાહુલ પંડયા, ચંદ્રકાંતભાઇ જોશી, રમેશભાઇ મહેતા, જૂનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોશી તેમજ શૈલેષભાઇ પંડયા, શ્રીમતી વીણાબેન પંડયા સહિતના ઉપસ્થિત રહેલ હતા. જે તસ્વીરોમાં નજરે પડે છે. આ તકે ૪૫૦ થી વધુ રાજગોર સમાજના પરિવારો હાજર રહી નૂતનવર્ષની શુભેચ્છાઓની આપલે કરી હતી તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહીત કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન એલ.વી.જોશીએ કર્યુ હતુ અને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ કમલેશભાઇ ભરાડ અને તેની સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા, જામનગર)

(11:55 am IST)