Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ઉપલેટામાં ધર્મનંદન સ્વામીનું સન્માન

ઉપલેટાઃ સ્વામીનારાયણ મંદિર દ્વારા તાલુકા શાળાના મેદાનમાં સત્સંગ પરાયણ ભાગવત સપ્તાહનું આયોજન થયેલ તે મુખ્ય સ્વામીનારાયણ મંદિરના વંદનીય સંત પૂ. શ્રી ધર્મનંદન સ્વામી દ્વારા ઉજવવામાં આવેલ સ્વામી દ્વારા આ વિસ્તારમાં અનેક ધર્મમય કાર્યો થતા રહે છે તેઓ દ્વારા કાયમ વચનામૃત, સત્સંગ સહીતના ધાર્મિક કાર્યોએ દરરોજનું નિત્યક્રમ બની ગયેલ છે. તેથી હરિભકતોમાં ચાહના ધરાવે છે. સાથે પ્રેમ કરૂણારૂપ અને નિસ્વાર્થ સેવાના અહનીશ સ્વામી હોય જેથી સૌરાષ્ટ્રમાં સેવાની મહેક ધરાવતુ શ્રી સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ત્રિવેદી, પરબતભાઇ ડાંગર, જગદીશભાઇ પૈડા, મનુભાઇ બારોટ, મયુરભાઇ સુવા, ભગવાનદાસ નિરંજની, ભાવેશભાઇ સુવા, વિક્રમસિંહ સોલંકી સહીતનાઓ દ્વારા શ્રી ધર્મનંદન સ્વામીનું હારતોરા અને સન્માનપત્ર અર્પણ કરી અદકેરૂ સન્માન કરેલ હતુ તે તસ્વીર. (તસ્વીરઃ ભોલુ રાઠોડ-ઉપલેટા)

(11:52 am IST)