Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

સોમનાથ ટ્રસ્ટના મંદિરોમાં સુર્યગ્રહણ નિમિતે પૂજા આરતીના સમયમાં ફેરફાર

વેરાવળ - પ્રભાસપાટણ તા.૨૪ : પ્રભાસ પાટણઙ્ગ તા૨૧ આગામી તૉં-૨૬/૧૨/૨૦૧૯ માગસર વદ અમાસ ગુરુવારના સુર્ય ગ્રહણ હોય અને ધાર્મિક રીતે પાળવાનુ હોઇ શ્રી સોમનાથ મંદિર તથા શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળના અન્ય દરેક મંદિરોના પુજાવિધી તેમજ આરતીના સમયમાં નિચે દર્શવ્યા અનુસાર ફેરફાર કરવામાં આવેલ છે.

ગ્રહણની વિગત

૧. વેધ પ્રારંભ – તા-૨૫ બુધવાર રાત્રે૦૮ વગ્યાથી

૨.ગ્રહણ સ્પર્શ – તા.૨૬ ગુરુવાર સવારના૦૮:૦૬ વગ્યાથી

૩. ગ્રહણ મધ્ય –તા-૨૬ ગુરુવાર સવારના૦૯: ૨૧ વગ્યાથી

૪. ગ્રહણ મોક્ષ – તા-૨૬  ગુરુવાર સવારના૧૦:૫૨ વગ્યાથી શરૂ થશે

ઉપરોકત સુર્ય ગ્રહણની વિગતને અનુલક્ષીને શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના અન્ય દરેક મંદિરોમાં પુજાકાર્યમાં સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે.

તા- ૨૫– પ્રક્ષાલનકાર્ય શયનઆરતી વિગેરે કાર્યો સાયં ૦૭:૩૦ થી ૦૮:૦૦ વાગ્યા સુધીમાં સંમ્પન કરવામાં આવશે.

તૉં- ૨૬ – પ્રાતઃ આરતી પુજન ઇત્યાદી પુજાવિધી કાર્યો થશે નહી.

તા.૨૬– પ્રથમ મહાપુજા આરતી મધ્યાહને ગ્રહણ મોક્ષ બાદ જ કરવાનીરહેશે.(મધ્યાહન પુજન-આરતી નિયત સમય મુજબ કરવામાં આવશે.) તેમ સોમનાથ ટ્રસ્ટની યાદીમાં જણાવાયુ છે.

(11:47 am IST)