Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ચોટીલા માલધારી સમાજ દ્વારા એલ આર ડીમાં ભરતીમાં અન્યાય પ્રશ્ને રજુઆત

વઢવાણઃ સમસ્ત ચોટીલા તાલુકા માલધારી સમાજના યુવાનોએ રાજયપાલ શ્રીને સંબોધન કરતુ આવેદનપત્ર ચોટીલાના ડેપ્યુટી કલેકટરને પાઠવી લોકરક્ષક દળની ભરતીમાં ગીર બરડા વિસ્તારના માલધારી યુવાનોને અન્યાય થયો હોય ભરતી રદ કરવા માંગણી કરી છે.

આવેદનપત્રમાં જણાવે છે કે મેરીટમાં ભરતી પ્રક્રિયા દરમિયાન આવતા હોવા છતા ગીર અને બરડા પંથકના માલધારી સમાજના અનેક યુવાનોના નામનો લોક રક્ષક દળની ભરતીમાં પ્રમાણ પત્રોની ચકાસણીના બહાને સમાવેશ કરાયો નથી જેથી અનુસુચિતિ જાતીના વન વગડામાં નિવાસ કરતા માલધારી સમાજના યુવાનોને ભરતીમાં સમાવી યોગ્ય ન્યાય આપવા માંગણી કરેલ છે.

(11:41 am IST)