Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ગોંડલના અજંતાનગરમાં બંધ મકાનમાં ચોર ત્રાટકયાઃ ૧.૩૮ લાખની મત્તા ઉસેડી ગયા

રાજકોટ, તા. ૨૪ :. ગોંડલના અજંતાનગરમાં બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી ૧.૩૮ લાખની મત્તા ચોરી કરી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના અજંતાનગરમાં રહેતા પ્રકાશ વલ્લભભાઈ હરણેસા-પ્રજાપતિના બંધ મકાનના તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશી કબાટ તથા તિજોરીના તાળા તોડી અંદર રહેલ સોના-ચાંદીના દાગીના કિં. ૬૮,૬૦૦ તથા રોકડ રૂ. ૭૦,૦૦૦ મળી કુલ ૧.૩૮ લાખની મત્તા ચોરી કરી ગયા હતા.

મકાન માલિક પ્રકાશભાઈ પ્રજાપતિ તથા તેનો પરિવાર બહારગામ ગયો હતો ત્યારે પાછળથી બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ઘર સાફ કરી ગયા હતા. આ અંગે અજાણ્યા ઈસમો સામે ફરીયાદ થતા ગોંડલ સીટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)