Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

વંથલી નજીકના નાંદરખી રોડ પરથી ઇજાગ્રસ્ત મળેલા અજાણ્યા યુવાનનું મોત

કોઇ વાહન અકસ્માતમાં ઇજા થયાની શકયતાઃ વાલીવારસની શોધ

રાજકોટ તા. ૨૪: જુનાગઢના વંથલી નજીકના નાંદરખી પાસેના રોડ પરથી ગઇરાતે એક અજાણ્યો યુવાન આશરે ૨૮ વર્ષનો ઇજાગ્રસ્ત મળતાં જુનાગઢ હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મોત નિપજ્યું હતું.

હોસ્પિટલ ચોકીના હેડકોન્સ. દેવરાજભાઇ નાટડા અને રવિભાઇએ વંથલી પોલીસને જાણ કરી હતી. જુનાગઢ હોસ્પિટલમાં કોઇ લોકો ફોરવ્હીલ મારફત અજાણ્યા યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં દાખલ કરી ગયા હતાં. તેને પગમાં ઇજા થઇ હતી. એ પછી તેને જુનાગઢ હોસ્પિટલની એમ્બ્યુલન્સ મારફત રાજકોટ ખસેડાયો હતો. કોઇ અકસ્માતમાં ઇજા થયાની શકયતા જણાય છે. રાજકોટમાં સારવાર દરમિયાન આ યુવાનનું મોત નિપજ્યું હતું. વંથલી પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ આદરી છે. તસ્વીરમાં દેખાતા યુવાન વિશે કોઇને માહિતી હોય તો વંથલી પોલીસનો સંપર્ક કરવો.

(11:05 am IST)