Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

મોરબીમાં પત્નીની હત્યા કરનાર પતિ સહિત ત્રણ છ દિ'ના રીમાન્ડ પર

મોરબી, તા.૨૪: મોરબીના જોધપર નજીકથી કેનાલમાં તણાઈને આવેલા કોથળામાંથી મહિલાની લાશ મળ્યા બાદ એલસીબી અને તાલુકા પોલીસની ટીમે હત્યારા પતિ સહીત ત્રણ આરોપીને ઝડપી લીધા બાદ  કોર્ટમાં રજુ કરતા કોર્ટે છ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.

મોરબીના મચ્છુ ૨ ડેમમાં નર્મદા કેનાલમાંથી ૩૦ થી ૩૫ વર્ષની અજાણી મહિલાની ગળે ટુંપો દઈને હત્યા કરેલી લાશ કોથળામાંથી મળી આવી હતી જે મામલે એલસીબી અને તાલુકા પોલીસની તપાસમાં મૃતક મહિલા દુર્ગાબેન રહે સીબોન સિરામિક લેબર કવાર્ટરમાં રહેતી હોવાનું ખુલ્યું હતું અને ત્રણ શકમંદ ઈસમો ભૂરો શંકર ડામોર, સત્યનારાયણ ખેમરાજ ડોડીયા અને નટવર અર્જુનભાઈ ભાભોરએ ત્રણની આકરી પૂછપરછ કરી હતી જેમાં પતિ ભૂરો ડામોરને બીજી પત્નીને અન્ય સાથે આડા સંબંધ હોવાની શંકા સાથે ગળું દબાવી હત્યા કરી હતી અને બે મિત્રોની મદદથી લાશ કેનાલમાં ફેંકી દીધી હતી જે ત્રણેય આરોપીનેે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને ૧૦ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેમાં કોર્ટે આગામી તા. ૨૯ સુધીના છ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા.(૨૨.૭)

 

(4:12 pm IST)