Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

જુનાગઢ યુથ કોંગ્રેસ દ્વારા પુતળુ સળગાવવા પ્રયાસ

 જુનાગઢઃ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અંકિતભાઇ કોદાવાલાના માર્ગદર્શન મુજબ જુનાગઢ જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી રવિભાઇ રૈયાણીની આગેવાનીમાં તુષારભાઇ મહેતા, નિકુંજભાઇ ડાંડ, નીરવ ધડુક, નિરલ ધડુક, અશોક માલકીયા સહિતના કાર્યકરો દ્વારા અરૂણ જેટલીની પુત્રી તથા જમાઇ દ્વારા દેશના મોટા કૌભાંડી મેહુલ ચોકસીનેા કેસ લડવામાં આવતા તથા મેહુલ ચોકસી દ્વારા તેમના ખાતામાં રૂપિયા જમા કરવામાં આવ્યા હોવાથી અરૂણ જેટલીનું પુતળુ સળગાવવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી. આ તકે રવિ રૈયાણીએ જણાવ્યું હતું કે જો દેશના નાણામંત્રીના નજીકના લોકોના બેંક કૌભાંડીઓ સાથે રિલેશન હોય તો આવા લોકો માટે દિવસેને દિવસે કૌભાંડ કરવાનો માર્ગ મોકળો બનતો જાય છે જેથી નાણાંમત્રીએ રાજીનામું આપી દેવું જોઇએ જેથી દેશના ઇમાનદાર લોકોની પરસેવો પાડીને ભેગા કરેલી રકમ આવા કૌભાંડીઓના હાથમાં આવતા બચી જાય (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘ્ેાલા-જુનાગઢ)

(2:00 pm IST)