Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

અનોખી પહેલઃ કોટડા સાંગાણીના વિપક્ષી નેતાએ કુપોષિત બાળકોને દતક લીધા

કોટડાસાંગાણી, તા.૨૪: કોટડાસાંગાણીના પાંચતલાવડા ગામના આગેવાન અને તાલુકા પંચાયતમા ભાજપમાંથી ચુંટાયેલા વિરોધ પક્ષના નેતા પ્રતીપાલસીંહ જાડેજાની ઉદારતા સામે આવી છે. તેમના દ્રારા ગામના તમામ કુપોષીત બાળકોને દત્ત્।ક લઈને કુપોષીતમાંથી બહાર લાવવાના શપથ લીધા હતા.

 

 હાલ સરકાર  કુપોસીત મુકત બાળક માસ ચાલી રહ્યો છે.અને ગુજરાતભરના કુપોષીત બાળકોને સ્વસ્થ બનાવવાના પ્રયાસો કરવામા આવી રહ્યા છે. ત્યારે કોટડાસાંગાણી વિરોધ પક્ષના નેતા પ્રતિપાલસીંહ જાડેજાએ પાંચતલાવડા ગામમા સર્વે કરી તમામ કુપોષીત બાળકોને દત્ત્।ક લેવાનો નીર્ણય લીધો હતો.

દરમીયાન ગામમા એક રાધીકા કુકડીયા નામની ચાર વર્ષની બાળા કુપોષીત હોવાથી તેમને દત્ત્।ક લઈને તેમની સારવાર અને પૌષ્ટીક ભોજનનો તમામ ખર્ચ ઉઠાવવાનો નીર્ણય લીધો હતો.ત્યારે અન્ય લોકો પણ પ્રતીપાલસીંહ જાડેજામાથી પ્રેરણા લઈને આવુ ઉમદા કાર્ય કરે,  આ બાળકાને દત્ત્।ક લેતા તેમના માતાપીતાને પણ આર્થીક રીતે દ્યણો ફાયદો થસે તેથી તેઓમા પણ ખુશી જોવા મળી હતી. ત્યારે તાલુકા ભાજપ પ્રમુખ અરવીંદભાઈ સીંધવ સહીતનાએ વિરોધ પક્ષના નેતાની કામગીરીને બિરદાવી હતી.અને શુભેચ્છા પાઠવી હતી.

(12:21 pm IST)