Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

કોડીનાર કંટાળામાં ૩ સિંહ અને ર સિંહણ દ્વારા ૬ ગાયનું મારણ

કોડીનાર તા.૨૪: તાલુકાના કંટાળા ગામ ખાતે ગત રાત્રીના સમયે ત્રણ સિંહ અને બે સિંહણના ટોળાએ ત્રાટકીને છ જેટલા રખડુ ગાયોના મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો રાત્રીના સમયે લટાર મારવા નીકળેલા આ સિંહોના ટોળા એ ગામમાં રખડતી ગાયોના મારણ કરતા રાત્રીના વાડીએ રખોપુ કરી ઘરે આવતા ખેડૂતોના દ્રશ્ય નરજે જોયું હતું. આ બનાવ અંગે વન તંત્રને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વારંવાર બનતી આ ઘટનાથી લોકમાં ભય ફેલાયો છે. કારણ કે ખેતીવાડી માટે રાત્રીના સમયે વિજપુરવઠો આપવામાં આવતો હોઇ ઉભા મોલ માટેે રાત્રે પાણી વાળવા જવું જ પડે છે. જેથી આ ગીર કાઠાંના ગ્રામજનો વારંવાર પી.જી.વી.સી.એલ. સત્તાવાળા ને રજુઆત કરે છે કે, રાત્રીના સમયે જંગલીપ્રાણીઅનો ભય હોવાથી ખેતીવાડી વિજપુરવઠો દિવસ દરમિયાન આપવો કારણ કે રાત્રે જંગલીપ્રાાણી ઓના ભયના ઓથાર વચ્ચે રહેવું પડે છે ત્યારે ગઇકાલે તો કંટાળા ગામને સિંહોના ટોળાએ બાનમાં લીધું હતું.

(12:27 pm IST)