Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વીરપુરમાં રાસોત્સવ

વીરપુરઃ જલારામ ધામમાં વીરપુર પત્રકાર મીડિયા સંધ આયોજીત સુરક્ષા સેતુ અંતર્ગત ત્રણ દિવસ રાસોત્સવ-૨૦૧૮નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત રાજયના યુવા કેબિનેટ મંત્રી શ્રી જયેશભાઇ રાદડિયાએ હાજર રહી જગદંબા માતાજીની આરતી ઉતારી આ રાસોત્સવનો પ્રારંભ કરાવ્યો હતોે. વીરપુર પત્રકાર મીડિયા તેમજ સુરક્ષા સેતુ અંતર્ગત આ રાસોત્સવમાં પત્રકારો સાથે કેબિનેટ મંત્રીશ્રી જયેશભાઇ રાદડિયા પણ ગરબે રમ્યા હતા. મિલન ઓરકેટ્રા દ્વારા માતાજીની ગરબા તેમજ અન્ય ગુજરાતી લોકગીતોમાં રજુ કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા વીરપુર પત્રકાર મિડિયા સંધના કિરીટભાઇ ઠુંમર, મનીષભાઇ ચાંદ્રાણી, ગૌરવ ગાજીપરા, ભાગ્યેશ ડોબરીયા, દેવરાજ રાઠોડ, કિશન મોરબીયા વગેરે મિત્રોએ જહેમત ઉઠાવી રહ્યા છે. રાસોત્સવમાં આરતીની તસ્વીર(તસ્વીરઃ- કિશન મોરબીયા વીરપુર)

(11:55 am IST)