Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

હળવદમાં ગણપતિનો જયકારના નારાઓ સાથે સજળ નયને વાજતે -ગાજતે ગણપતિનું વિસર્જન

હળવદ તા.૨૪: શહેરમાં વડનગર વિસ્તારમાં જય વડવાળા યુવા ગૃપ દ્વારા વાજતે -ગાજતે ગણપતિ દાદાની વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવી હતી ભાવિકો-ભકતોએ ભારે હદયે રિદ્ધિ સિદ્ધિના દાદા ગણપતિદાદાની આકર્ષક કલાત્મક મુર્તિનું વિસર્જન કરી આવતા વર્ષે પધારવાનું નિમંત્રણ આપ્યું હતું.

હળવદના વડનગર વિસ્તારમાંથી ગણપતિ દાદાની વિશાળ સંખ્યામાં ભકતજનોની ઉપસ્થિતિમાં ભવ્ય શોભાયાત્રા મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઇ હતી ભકતો ડી.જે.ના તાલે નાચી અનેરો આનંદ માણ્યો હતો ગણપતિ દાદાનો જયજયકારના ગગનભેદી નારાઓ સાથે ભકિતમય વાતાવરણ બન્યું હતું. (૧.૩)

(12:04 pm IST)