Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ગારીયાધારમાં પરિણીતાનો આપઘાતઃ ર પુત્રીએ માતાની છત્રાછાંયા ગુમાવી

ગારીયાધાર તા.૨૪: દેપલાપરા વિસ્તારમાં રહેતી પરિણીતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

દેપલાપરા વિસ્તારમાં રહેતા ગાધડકા (સા.કુંડલા) ગામના રહીશ શૈલેષભાઇ મનુભાઇ નગવાડીયાના પત્ની સંગીતાબેન આજે સાંજે ૬ કલાકના અરસામાં કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

ગળાફાંસો ખાઇને આપઘાત કરનાર સંગીતાબેનને સંતાનમાં બે દિકરીમાં પાંચ વર્ષની ક્રિષ્ના અને નવ માસની જાહન્વી હતી. સાંજે દૂધવાળા તેમના ઘરે દૂધ દેવા જતાં ઘર ખોલતા સમગ્ર વિસ્તારના લોકોને જાણ થતા લોકોના ટોળા વળી ગયા હતા. જયારે તેમના પતિ ગણેશ વિસર્જનમાં ગયેલા હોવાથી આ ઘટના બનાવ પામી હતી.

ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. જયારે સીએચસી ખાતે લાવી તેમની પી.એમ.ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. (૧.૯)

(11:54 am IST)