Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

મોરબી-ટંકારા પંથકમાં ભારે વરસાદમાં લોકો હેરાન ન થાય તે માટે વ્યવસ્થા

કોઇને મુશ્કેલી હોય તો સંપર્ક કરવા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાની અપીલ

રાજકોટ, તા. ર૪: મોરબી-ટંકારા પંથકમાં ધોધમાર વરસાદ પડતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું છે ત્યારે લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હોવાનું પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયાએ જણાવ્યું છે.

કાંતિભાઇ અમૃતિયાએ વધુમાં જણાવ્યું હતું કે, કોઇ પણ છેવાડાના વિસ્તારના લોકોને કોઇ તકલીફ હોય-ફૂડ પેકેટની જરૂર હોય તો સીધો જ મારો ફોન ઉપર સંપર્ક કરી શકે છે.

 

(4:24 pm IST)