Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ભાવનગરમાં વધુ ૪૧ પોઝીટીવ કેસો

ભાવનગર તા. ર૪ :.. જિલ્લામાં વધુ ૪૧ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ર,૪ર૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમાં ૧પ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ રપ કેસો નોંધાયા છે. જયારે તાલુકઓમાં મહુવા ખાતે ૪, મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૧, સિહોર તાલુકાના નેસડા ગામ ખાતે ૧, તળાજ ખાતે ૧, તળાજા તાલુકાના મણાર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ઇસોરા ગામ ખાતે ૧ તેમજ તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે ૪ કેસ મળી કુલ ૧૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.

મહાનગરપાલિકા વિસ્તારના ર૦ અને તાલુકાઓના ૧પ એમ કુલ ૩પ કોરોના પોઝીટીવ દર્દી કોરોના મુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઇ છે.

આમ જિલ્લામાં નોંધાયેલા ર,૪ર૩ કેસ પૈકી હાલ ૪૯૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમાં કુલ ૧,૮૮૧ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લામાં ૪૧ દર્દીઓનું અવસાન થયેલ છે.

(3:13 pm IST)