Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

વાંકાનેરના દિધલીયા ગામ પાસે કાર સાથે સુરેન્દ્રનગરના ૩ કોળી યુવાનો તણાયા

દિધલીયા ગામ પાસે રાત્રે કોઝવે ઉપરથી પસાર થતા કાર તણાઇ ગઇ : વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા ત્રણેય યુવાનોની શોધખોળ

રાજકોટ, તા. ર૪:  વાંકાનેરમાં દિધલીયા ગામ પાસે કોઝવે ઉપર ગત રાત્રે સુરેન્દ્રનગરના ૩ યુવાનો કાર સાથે પુરમાં તણાઇ જતા ત્રણેયની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઇ છે.

પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગરમાં રહેતા ત્રણ કોળી યુવાનો મારૂતી સિયાઝ કારમાં વાંકાનેરના દિધલીયાથી શેખરડી ગામ વચ્ચે પસાર થતી હતા ત્યારે દિધલીયા ગામ પાસે કોઝવે ઉપર અચાનક આવેલા પુરમાં કાર તણાઇ જતા કાર સમેત ત્રણેય યુવાનો પાણીમાં ગરક થઇ ગયા હતા.

બનાવની જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ. આર.પી. જોડેજા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. આ લખાઇ છે ત્યારે બપોરે ૧ર વાગ્યા સુધી પુરમાં તણાયેલા ત્રણેય યુવાનોનો કોઇ પતો મળ્યો નથી. વાંકાનેરના તાલુકાના પી.એસ.આઇ. આર.પી. જાડેજા તથા સ્ટાફ ફાયરબ્રિગેડ અને તરવૈયાઓની મદદથી પુરમાં તણાયેલા સુરેન્દ્રનગરના ત્રણેય યુવાનોની શોધખોળ હાથ ધરી છે. પુરમાં તણાયેલા ત્રણેય કોળી યુવાનોના નામો જાણવા મળેલ નથી.

(3:08 pm IST)