Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

મોરબી જિલ્લામાં કોરોનાના વધુ ૧૧ કેસ : ૨૨ દર્દીઓ સ્વસ્થ થયા

મોરબી જીલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે જેમાં રવિવારે કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા છે તો વધુ ૨૨ દર્દીઓ સ્વસ્થ થયા છે.

મોરબીમાં રવિવારે ૧૧ નવા કેસો નોંધાયા છે ૧. મોરબીના જેતપર લીસપીન ફેકટરીમાં ૩૫ વર્ષ પુરુષ ૨. મોરબીના વાઘપરા શેરી નં ૦૫ માં ૩૯ વર્ષ પુરુષ ઙ્ગ૩. મોરબીના પખાલી શેરીમાં ૨૩ વર્ષ પુરુષ ૪. મોરબીના કબીર શેરીમાં રહેતા ૫૩ વર્ષ મહિલા ૫. મોરબીના શનાળા રોડ પર ૫૭ વર્ષ મહિલા ૬. મોરબીના માધાપરમાં ૭૮ વર્ષ પુરુષ ૭. મોરબીના જેઈલ રોડ પર ૪૯ વર્ષ પુરુષ ૮. મોરબીના વજેપર શેરી નં ૧૪ માં ૪૦ વર્ષ પુરુષ ૯. મોરબીના ચાર ગોડાઉન વિસીપરામાં ૪૦ વર્ષ મહિલા ૧૦. મોરબીની કારિયા શેરીમાં ૪૬ વર્ષ પુરુષ ૧૧. મોરબીના વાઘપરા શેરી નં ૦૭ માં ૬૨ વર્ષ મહિલાના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે.

રવિવારે વધુ ૨૨ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે. નવા ૧૧ કેસો સાથે કુલ કેસનો ૮૧૪ થયો છે જેમાં કુલ એકટીવ કેસની સંખ્યા ૨૩૬ છે અત્યાર સુધીમાં કુલ ૫૩૦ દર્દીઓ સ્વસ્થ થયા છે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૪૮ દર્દીના મોત થયા છે.

(12:59 pm IST)