Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

માળીયા મિંયાણામાં નજીવી બાબતે પિતા અને ત્રણ પુત્રો ઉપર હુમલો

મોરબી તા. ૨૪ : નજીવી બાબતે ત્રણ ઇસમોએ પિતા અને ત્રણ પુત્રો પર જીવલેણ હુમલો કરી દેતા ઈજાગ્રસ્ત હાલતમાં પિતા-પુત્રોને સારવાર માટે મોરબી તથા રાજકોટ હોસ્પિટલ ખસેડાયા છે તો પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

માળીયા મીંયાણાના રહેવાસી પ્રદીપ નિરંજન જોષીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેનો ભાઈ મનોજ કાર લઈને મોરબી દવાખાને જવા નીકળ્યો હોય ત્યારે દુકાન પાસે અંજીયાસરનો રીક્ષાવાળો મીયાણો રીક્ષા આડી રાખી ઉભો હોય જેથી મનોજે રીક્ષા સાઈડમાં રાખવાનું કહ્યું હતું જેથી ઉશ્કેરાઈ જઈને અહિયાં જ રહેજે હમણાં આવું છું કહીને રીક્ષા લઈને ગયો અને થોડીવારમાં પાછો આવી રીક્ષામાં સોકત ઉર્ફે ટકી તાજમહમદ જેડા, તેનો ભાઈ અલ્લારખા તાજમહમદ જેડા રીક્ષામાં હતા જે ત્રણેય રીક્ષામાંથી ઉતરી હાથમાં ધોકા લઈને આવ્યા હતા અને મનોજને માથામાં ધોકો મારતા લોહી નીકળવા લાગ્યા હતા અને તેને બચાવવા ફરિયાદી પ્રદીપ વચ્ચે પડતા આરોપીઓ આડેધડ માર મારવા લાગ્યા હતા તેમજ નાનો ભાઈ જનક અને પિતા નિરંજનભાઈ વચ્ચે પડતા તેને છુટા પથ્થર ઘા મારી ઈજા કરી હતી અને બાદમાં ત્રણેય ઇસમોએ રીક્ષા લઈને નાસી ગયા હતા જે બનાવમાં ભાઈ મનોજ, જનક અને પિતાને માથામાં અને શરીરે ઈજા થતા માળિયા બાદ મોરબી રીફર કરાયા છે. ફરિયાદીને રાજકોટ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. માળિયા પોલીસે આરોપી સોકત ઉર્ફે ટકી તાજમહમદ જેડા, અલ્લારખા અને રીક્ષાવાળો મીયાણો એમ ત્રણ સામે ગંભીર જીવલેણ ઈજા મારી નાખવાના ઈરાદે કરી હોવાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે.

(12:59 pm IST)