Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

સરધારનું ઐતિહાસિક તળાવ છલકાયું: વડાળીમાં ચાર કાચા મકાનોમાં નુકસાન

રાજકોટઃ સરધારમાં આવેલુ રાજાશાહી વખતનું તળાવ સતત બે દિવસથી વરસી રહેલા વરસાદને કારણે છલકાઇ જતાં ગામલોકો મોટી સંખ્યામાં તળાવ જોવા પહોંચી ગયા હતાં. બીજી તરફ ત્રંબાના વડાળીમાં ભારે વરસાદને કારણે ચાર જેટલા કાચા મકાનોને નુકસાન થયું હતું. વેલાભાઇ ભાલારા, સોમાભાઇ ભાલારા, રાજાભાઇ મેર, ગોરધનભાઇ બારૈયાના મકાનની દિવાલો તૂટી જતાં નુકસાન થયું હતું. તસ્વીરો સરધારથી સાગર જોષી અને ત્રંબાથી જી.એન. જાદવે મોકલી હતી.

(12:50 pm IST)