Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

કચ્છમાં કોરોનાનો ઉપાડો વધ્યો : વધુ ૩૨ કેસ સાથે કુલ ૧૧૧૭ : એકિટવ દર્દીઓ વધીને ૨૬૩

૮૦૨ દર્દીઓ સાજા થયા : જ્યારે ૫૨ના મોત : ભુજ, અંજાર, ગાંધીધામ પછી હવે માંડવી - નખત્રાણામાં દર્દીઓ વધ્યા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૪ : કચ્છમાં કોરોનાનો ઉપાડો વધ્યો છે. વધુ ૩૨ દર્દીઓ સાથે કુલ દર્દીઓની સંખ્યા વધીને ૧૧૧૭ થઈ છે.

નવા ૩૨ કેસમાં અંજારમાં ૮, ગાંધીધામ ૬, નખત્રાણા ૬, માંડવી, ૪, ભુજ ૩, ભચાઉ ૩, મુન્દ્રા ૧ અને લખપતમાં ૧ કેસ નોંધાયો છે. જયારે એકિટવ કેસમાં પણ ઉછાળો આવ્યો છે. એકિટવ કેસ વધીને ૨૬૩ થયા છે. સાજા થયેલા દર્દીઓનો વર્ગ પણ મોટો છે, અત્યાર સુધીમાં ૮૦૨ દર્દીઓ કોરોનાને મ્હાત આપીને હરાવી ચુકયા છે.

જોકે, તે વચ્ચે મોતનો આંકડો પણ ચોંકાવનારો છે. સરકારી ચોપડે ૪૨ જયારે સરકારી આંકડાઓ પ્રમાણે જ જોઈએ તો ૫૨ મોત થયા છે. અત્યારે ભુજ, ગાંધીધામ, અંજાર પછી હવે નખત્રાણા અને માંડવીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.

(12:03 pm IST)