Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

વઢવાણ મુસ્લિમ વિસ્તારમાં સ્વામીનારાયણનો ડેલો તૂટી પડયો : ધોળી પોળમાં ઇમારત ધરાશાયી થતાં રિક્ષાનો ભૂક્કો

વઢવાણ તા. ૨૪ : વઢવાણમાં મુસ્લિમ વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ નો ડેલો તૂટી પડતા નાસભાગ મચી જવા પામી હતી ત્યારે સતત વરસાદના પગલે ધોળીપોળ વિસ્તારમાં અચાનક આ ડેલો તુટી જવા પામ્યો હતો અને ત્યાં બાજુમાં આવેલી ઇમારત પણ વરસાદના ભેજના પગલે તૂટી જવા પામી હતી.આ ઈમારત ધરાશાયી થતા ત્યાં પડેલ રીક્ષા ઉપર આ ઇમારતની દિવાલ પડી હતી. આ રિક્ષાનો કચ્ચરઘાણ થઇ જવા પામ્યો હતો સધ્નસીબે કોઈ રિક્ષામાં પેસેન્જર કે ડ્રાઇવર ન હોવાના કારણે હાલ કોઈ જાનહાનિ સર્જાવા પામી નથી પરંતુ આ રીક્ષા હાલમાં ટોટલ લોસ થઈ જવા પામી છે.

સત્વરે જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા વઢવાણમાં આવેલ જર્જરિત ઇમારતો અને મકાનો ઉતારી લેવા માટે જાહેરનામું બહાર પાડી તાત્કાલિક ધોરણે આવા જર્જરિત મકાનો ઉતરાવી લેવામાં આવે તેવી આજુબાજુના રહેવાસીઓ માંગ કરી રહ્યા છે. આ સપ્તાહમાં ત્રણ મકાન વઢવાણમાં વરસાદના પગલે ધરાશાયી બન્યા છે.

(11:55 am IST)