Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

રાજુલા કોર્ટના કલાર્ક રમેશભાઇ વ્યાસની સળગેલી હાલતમાં લાશ મળતા ખળભળાટ

રાજુલા, તા., ર૪: અમરેલી જીલ્લાના રાજુલા કોર્ટના કલાર્ક રમેશભાઇ વ્યાસની લાશ મળતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહીતી મુજબ રાજુલા કોર્ટમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા રમેશભાઇ વ્યાસ ગઇકાલ સાંજથી ગુમ થઇ ગયા હતા.

જે અંગેની જાણ રાજુલા પોલીસ સ્ટેશનમાં  રમેશભાઇ વ્યાસના પરીવારજનો દ્વારા કરવામાં આવી હતી.

આ દરમિયાન પોલીસ ટીમ અને રમેશભાઇના પરીવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

આજે બપોરે પોલીસે પેટ્રોલીંગ દરમિયાન રાજુલા કોર્ટના કલાર્ક રમેશભાઇ વ્યાસનો મૃતદેહ અર્ધ સળગેલી હાલતમાં બાવળની જાડીમાંથી મળી આવી હતી. પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

રાજુલા કોર્ટના કલાર્કની હત્યા કરાઇ છે કે આત્મહત્યા? તે અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. (૪.૧૨)

(3:40 pm IST)