Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ઇન્દોરમાં વ્હોરા સમાજના ધર્મગુરૂના વાએઝ માટે ચાલતી તડામાર તૈયારી

જસદણ તા.૨૪: વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ૫૩માં સર્વોચ્ય ધર્મગુરૂ ડો. સૈયદના સાહેબના મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં આગામી તા. ૧૩ સપ્ટેમ્બરથી સળંગ નવ દિવસ કરબલાના જાંબાઝ વીર હઝરત ઇમામ હુસૈન (અ.સ.) ની સ્મૃતિમાં વાએઝ (કથા) કરવાના હોવાથી જેમાં દુનિયાભરના વ્હોરા બિરાદરો અદન અને અકીદત સાથે ઉમટી પડશે.

ઇન્દોરના આમીલ શબ્બીર નોમાનીના નેજા હેઠળ પાણીથી લઇ આરોગ્ય સુધીની તમામ તૈયારીઓ રાત-દિવસ થઇ રહી છે. અહી આવનારા વ્હોરા બિરાદરોને કોઇ તકલીફ પડે તો તેમણે વિદેશના લોકો સૈયદુલ ખૈરભાઇ સાહેબ મો. ૯૭૭૩૩૪૮૫૫૨, તાહાભાઇ સાહેબ હકીમુદ્દીન મો. ૯૯૨૦૨ ૧૯૭૫૧, ભારતમાં રહેતા લોકોએ- તૈખુમભાઇ સાહેબ મો. ૯૧૬૭૩ ૬૧૦૬૨, અહેમદભાઇ સાહેબ મો. ૯૮૩૩૧૦૦૭૮૬, જુનભાઇ સાહેબ મો. ૯૮૧૯૮૦૭૨૫૨, ઉપર સંપર્ક કરવા એક મેસેજ મોકલ્યો છે.(૧.૩)

 

(11:56 am IST)