Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ગિરીશ કોટેચા કેમ મજામા ને...? નરેન્દ્રભાઇએ સ્ટેજ ઉપર ખબર અંતર પૂછયા : જુનાગઢમાં ભાજપના આગેવાનો દ્વારા સન્માન

જુનાગઢઃ ગઇ કાલે જુનાગઢ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ખાતમુર્હુત અને લોકાપર્ણના કાર્યક્રમો યોજાયા હતા ત્યારે શ્રી નરેન્દ્રભાઇ કાર્યક્રમ સ્થળે આવી પહોંચતા તેઓનું મંચ મહાનગરપાલિકાના મેયર આદ્યાશકિતબેન મજમુદાર ડેપ્યુટી મેયર ગિરીશભાઇ કોટેચા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન નિલેશ ધુલેશીયા શાસકપક્ષના નેતા પુતિનશર્મા તેમજ શહેર ભાજપના પ્રમુખ શશીકાન્ત ભીમાણી, ભરત શિંગાળા સહિતનાએ શ્રી મોદીની પ્રતિકૃતિવાળી છબી મોમેન્ટો આપી સન્માન કર્યું હતું. આ તકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જુનાગઢના ડે.મેયર ગિરીશભાઇ કોટેચા(મો. ૯૮રપર ર૧૬૧૮)ને કહ્યું હતું કે ગિરીશ કોટેચા મજામાને ?(અહેવાલ વિનુ જોષી, તસ્વીર-મુકેશ વાઘેલા-જુનાગઢ)

(11:55 am IST)