Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ગારીયાધારના નવાગામમાં ર મંદિરમાં ચોરીની ઘટના

ગારીયાધાર, તા. ર૪, પંથકના નવાગામ ગામે છેલ્લા ત્રણ દિવસમાં બે મંદિરોમાં ચોરી થયાના બનાવો બનવા પામ્યા છે. તસ્કરોની ખેપથી ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે.

ગારીયાધારના નવાગામ ગામે છેલ્લા ત્રણ દિવસની અંદર શિવાલય મંદિર અને મેસણકા રોડ પરના ખોડીયાર મંદિરમાં તસ્કરો દ્વારા ખેપ મારવામાં આવી છે. બન્ને મંદિરોમાંથી રોકડ પરચૂરણ, પંખા સહિતની ધાતુની વસ્તુઓ બઠાવી લેવાય છે. જયારે આ બન્ને ચોરીના બનાવ અંગે ગારીયાધાર પોલીસ મથકમાં કોઇ ફરીયાદ દાખલ કરાઇ નથી.(૮.૯)

(11:48 am IST)