Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

દાળેશ્વર મહાદેવ મંદિરે રવિવારે સામુહિક જનોઈ બદલાવાશેઃ ભુદેવો ઉમટી પડશે

ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મસમાજને સમયસર ઉપસ્થિત રહેવા અનુરોધ

રાજકોટ,તા.૨૪:  શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજ અને શ્રી દાળેશ્વર સેવા મંડળ ટ્રસ્ટનાં અધ્યક્ષ અનંતભાઈ ભટ્ટ પ્રફુલભાઈ જોષી સયુંકત નિવેદનમાં જણાવે છે કે આગામી તા.૨૬ રવિવારે રક્ષાબંધન હોય અને તે પવિત્ર દિવસે રીબડા ગામ નજીક આવેલ દાળીયા ગામ ખાતે દાળેશ્વર મહાદેવજીનું મંદિર આવેલ છે. જયાં શ્રી ઔદિચ્ય સહસ્ત્ર ચિભડીયા બ્રહ્મ સમાજ જ્ઞાતિનાં વડિલો તેમજ યુવાનો સામુહિક જનોઈ, સવારે ૯:૩૦ થી બદલવાશે.

જનોઈ બદલાવવા શાસ્ત્રોત વિધી મંત્રોત્ચાર શાસ્ત્રીજી હર્ષદભાઈ ત્રિવેદી કરાવશે. આ કાર્યક્રમ સફળ બનાવવા અધ્યક્ષ અનંતભાઈ ભટ્ટ, પ્રફુલભાઈ જોષી, ટ્રસ્ટી કિશોરભાઈ ભટ્ટ, હિતેષભાઈ જોષી, ગીરીશભાઈ રાવલ, કિશોરભાઈ ત્રિવેદી, જયેશભાઈ રાવલ, રઘુભાઈ દવે, બીપીનભાઈ રાવલ, લલીતભાઈ રાવલ, જીતુભાઈ રાવલ, યશભાઈ ભટ્ટ, સનતભાઈ ભટ્ટ, કરણભાઈ ઠાકર, વિજયભાઈ જોષી, કૌશિકભાઈ રાવલ, દિવ્યેશભાઈ રાવલ, પિયુષભાઈ રાવલ, નિશીતભાઈ રાવલ, રાજુભાઈ ઠાકર, કમળાશંકરભાઈ રાવલ, અશોકભાઈ ભટ્ટ, ચંદ્રીકાબેન ભટ્ટ, અરૂણાબેન રાવલ, જયશ્રીબેન રાવલ, દક્ષાબેન રાવલ, ચેતનાબેન ભટ્ટ, ગીતાબેન ભટ્ટ, સંગીતાબેન ભટ્ટ, વંદનાબેન રાવલ, જુલીબેન ભટ્ટ, કિશોરભાઈ ભટ્ટ સહિત ભાઈ- બહેનો જહેમત ઉઠાવી રહ્યાં છે.

વધુ વિગત માટે મો.૯૮૨૫૦ ૭૮૧૩૧ ઉપર સંપર્ક કરવા અનંતભાઈ ભટ્ટ, પ્રફુલભાઈ જોષીની સંયુકત યાદીમાં જણાવેલ છે.(૩૦.૪)

 

(11:47 am IST)