Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

ભલુ કરે ભોળાનાથ...સોમનાથ ટ્રસ્ટનું સુકાન વધુ એક વખત કેશુભાઈને

અમદાવાદઃ. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને ફરી સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પદ પર નિયુકત કરાયા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય કરાયો હતો. બેઠકમાં કેશુભાઈ પટેલની સર્વાનુમતિથી નિમણૂક કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદી પણ સોમનાથ મંદિરના ટ્રસ્ટી છે. આ સિવાય લાલકૃષ્ણ અડવાણી પણ ટ્રસ્ટીમાં છે. રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની વાર્ષિક બેઠક મળી હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટી સભ્યો એવા સાંસદ લાલકૃષ્ણ અડવાણી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિતભાઈ શાહ, પરિમલભાઈ નથવાણી અને પી.કે. લહેરી હાજર રહ્યા હતા. શ્રી કેશુભાઈ દોઢ દાયકાથી સોમનાથ ટ્રસ્ટનું સુકાન સંભાળી રહ્યા છે. તેમના કાર્યકાળમાં સોમનાથ સંકુલ અને આસપાસનો અભૂતપૂર્વ વિકાસ થયો છે.(૨-૮)

(11:44 am IST)