Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

પોરબંદર માલધારી સમાજના પ્રમુખ સહિત ર૦૦ કાર્યકરોના ભાજપમાંથી રાજીનામા

જાતિ પ્રમાણપત્ર સહિત સમાજના અન્ય કામો નહીં થતાં અસંતોષ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૪: માલધારી સમાજના પ્રમુખ ભીમાભાઇ મકવાણા સહિત ર૦૦ કાર્યકરોએ ભાજપ પક્ષમાંથી રાજીનામાં ધરી દીધા છે. અનુસુચિત જનજાતિના દાખલા નહીં મળતા અને સમાજના કામો સહિતના અનેક મુદ્દે અસંતોષ થતાં માલધારી સમાજના પ્રમુખ ભીમાભાઇ મકવાણા અને તેના પરિવારના સભ્યો સહિત ર૦૦ કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને મોકલી આપેલ છે. ભીમાભાઇ અગાઉ પક્ષમાં અનુસુચિત જાતિ મોરચાના પ્રમુખ રહી ચૂકેલા હતા તેઓ હાલ માલધારી સમાજના પ્રમુખ છે થોડા સમય પહેલા અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો મામલે દિવસો સુધી આંદોલન કરેલ હતું. આંદોલન દરમિયાન અનુસૂચિત જનજાતિના પ્રમાણપત્રો સરકાર આપશે તેવું આશ્વાસન મળેલ અને આંદોલન સમેટી લીધેલ હતું. હજુ સુધી પ્રમાણપત્રો નહીં મળતા અને સમાજના કામો નહીં થતા હોવાથી ભારતીય જનતા પક્ષના તમામ હોદ્દા પરથી ર૦૦ કાર્યકરો સાથે રાજીનામાં આપ્યા. 

(1:04 pm IST)