Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

કાગવડ ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશભાઈ પટેલ સોમનાથ પહોંચ્યા

નરેશભાઈ પટેલ પરિવાર સાથે દર્શન કર્યા

અમદાવાદ,તા.૨૪ભારતના બાર જ્યોર્તિલિંગ પ્રથમ ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિરે આજે કાગવડ ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશભાઈ પટેલે પવિત્ર શ્રાવણ માસમાં સહપરિવાર-ટ્રસ્ટીઓ-મિત્રો સાથે સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કર્યા. શિવભક્ત નરેશભાઈ સોમનાથ મંદિરે આવતા-રહેતા હોય છે જ્યાં તેમને ભગવાન સદાશિવનું ધ્યાન ધરી શિવમય બન્યા. તેમની સાથે તેમના પત્ની-પુત્ર તથા ટ્રસ્ટી બકુલભાઈ સહિત મિત્ર મંડળ શિવ દર્શન યાત્રામાં જોડાયુ હતું અને શિવ દર્શનથી ધન્ય બન્યા. સોમનાથ મંદિર ખાતે જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, સોમનાથ સિક્યોરીટીના ઉમેદસિંહ જાડેજા, પ્રવિણસિંહએ વ્યવસ્થા ગોઠવી હતી.

(10:37 pm IST)