Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

કચ્છમાં આજે વધુ એક મોત અને ૨૨ કેસ સાથે કોરોનાનો હાહાકાર- કુલ કેસ 424, મૃત્યુ આંક 24

ભુજના સર્કલ ઓફિસર પ્રવીણ સોલંકી, ગાંધીધામના વરિષ્ઠ પત્રકાર મહાદેવ મહેતાને કોરોના

ભુજ : કચ્છમાં આજે પણ ૨૨ કેસ અને ૧ મોત સાથે કોરોનાએ હડકંપ સર્જ્યો છે. આજે ભુજ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર પ્રવીણ સોલંકીને, ગાંધીધામના વરિષ્ઠ પત્રકાર મહાદેવભાઈ મહેતાને, ભુજના એક પોલીસ પરિવાર રાજેશ વેલાભાઈ વરચંદ, તેમના પત્ની, પુત્રીને કોરોના ડિટેકટ થયો છે. ભુજમાં  એક સામટા ૭ કેસ( માધાપરમાં ૨), અંજારમાં ૪ કેસ, ગાંધીધામમાં ૪ કેસ, નખત્રાણા ૨, રાપર ૨, ઉપરાંત દરસડી (માંડવી), મોટા કપાયા (મુન્દ્રા), ભચાઉમાં ૧-૧ એમ કુલ ૨૨ કેસ નોંધાયા છે. ગાંધીધામના દિવ્યભાસ્કર દૈનિકના વરિષ્ઠ પત્રકાર મહાદેવભાઈ મહેતાને કોરોના થતાં પત્રકાર આલમમાં ચિંતાની લાગણી છવાઈ છે. કચ્છમા કોરોનાના એક્ટિવ દર્દીઓ વધીને ૧૫૫ થઈ ગયા છે. સાજા થનાર દર્દીઓની સંખ્યા પણ વધીને ૨૪૫ થઈ છે. માનકુવાના દેવજીભાઈ દુબાસીયાનું કોરોનાથી આજે મોત નીપજ્યું છે. કુલ મોત ૨૪ થયા છે.

(10:36 pm IST)