Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

જામનગરનાં નારણપરમાં તાંત્રીક વિધીના બહાને યુવતિનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર સાધુના વેશમાં શેતાનના રિમાન્ડની તજવીજ

પ્રથમ તસ્વીરમાં સાધુના વેશમાં આરોપી જીતેન્દ્ર પરમાર અને બીજી તસ્વીરમાં આરોપીને જે સમયે ઝડપ્યો ત્યારની તસ્વીર.(તસ્વીરઃ કિંજલ કારસરીયાઃ જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૪: જામનગર જિલ્લાના નારણપર ગામે સમાજમાં લાલબતી રૂપ કિસ્સો સામે આવ્યો છે ગામમાં સાધુના વેશે ઘુસેલા શેતાને પિતૃ નડે છે તેવું કહી યુવતિને તાંત્રીક વિધી કરવાના બહાને દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. જે સમાજમાં ચેતવણી રૂપ કિસ્સો છે.

જામનગર જિલ્લામાં હવે અંધશ્રઘ્ધાથી ભોળા લોકોને ભોળવવાની નવી ટેકનીક શરૂ થઈ છે. જિલ્લાના નારણપર ગામે રહેતી એક યુવતિ થોડા સમય પહેલા ગુમ થઈ હતી આ અંગે પંચકોશી બ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુમ નોંધ પણ થઈ હતી. આ દરમ્યાન પોલીસે અમદાવાદ સુધી યુવતિના સગડ મેળવવા તપાસ સાથે પહોંચી હતી અને જયાં તાંત્રીક જીતેન્દ્ર ઉર્ફે જીતુગીરીને ડબોચી લીધો હતો ત્યારબાદ પરીવાર ઉપર તાંત્રીક વિધી કરવાના બહાને યુવતિનું અપહરણ કરી જૂનાગઢ, અમદાવાદ અને રાજસ્થાન સહિત ના સ્થળોએ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાનું પણ ખુલ્યંુ હતું જેથી પોલીસે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગીરી  ઉર્ફે મેન્ટલગીરી પૃથ્વીસિંહ પરમાર નામના ૪ર વર્ષીય ઢગા તાંત્રીકની અટકાયત કરી આઈ.પી.સી.કલમ ૩૭૬(ર) (એન), ૩૬પ તથા પ૦૬(ર) મુજબ ગુનો નોંઘ્યો છે.

જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગીરી  ઉર્ફે મેન્ટલગીરી પૃથ્વીસિંહ પરમાર છ માસ પહેલા યુવતિના વાડીમાં સૌ પ્રથમ કામે રભે હતો અને પરીવારને ભોળવી પિતૃ નડે તેમ કહી યુવતિને ફસાવી હતી પછી તેમના પર દુષ્કર્મ પણ ગુજાર્યુ હતું. ત્યાર પછી પરીવાર જનોને મારી નાખવાની ધમકી આપી યુવતિને જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગીરી  ઉર્ફે મેન્ટલગીરી પૃથ્વીસિંહ પરમાર ઉઠાવી ગયો હતો. બાદમાં જૂનાગઢ, અમદાવાદ અને રાજસ્થાનમાં અલગ અલગ મકાનોમાં રાખી તેમની દુષ્કર્મ પણ ગુર્જાયાનું સામે આવ્યું છે. જેથી પોલીસે હાલ આરોપીની અટકાયત કરી મેડીકલ ચકાસણી અર્થે મોકલી આગળની તપાસ હાથ ધરી છે. અને રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

(1:17 pm IST)