Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

જામનગરમાં હાહાકારઃ કોરોનાના ર૧ કેસઃ ર ના મોત

ગઇકાલે કોરોના પોઝીટીવ કેસમાં જિલ્લામાં એકધારો ઉછાળો આવતા લોકોમા ચિંતાઃ સંપર્કમાં આવેલા લોકોનું મેડિકેલ ચેકઅપ

જામનગર તા.  ર૪ :. જામનગર અને જીલ્લામાં કોરોના પોઝીટીવ કેસની સંખ્યામા  એકઘારો ઉછાળો આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઇ છે. કાલે સવારથી આજે સવાર સુધીમાં કોરોના પોઝીટીવના ૨૧ કેસ નોંધાયા છે.

જામનગરમાં કાલે કોરોનાએ કહેર વર્તાવ્યો હતો કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. કાલે સાંજે કોરનાના ત્રણ કેસ નોંધાયા બાદ મોડી રાત્રે વધુ પાંચ કેસ નોંધાયા છે. કાલે એકજ દિવસમાં કુલર૦ કેસ પોઝીટીવ આવતા ફફડાટ ફેલાયો છે કાલે મોડીરાત્રે વધુ પાંચ કેસ પોઝીટીવ આવ્યા છે. જેમાં ર૪ વર્ષીય યુવાન રણુજા વોદિસંગ, કાલાવડ, ૩૪ વર્ષીય યુવાન હરિયા કોલેજ રોડ,

૧૩વર્ષીય નુરી પાર્ક શેરી ૧ અને ૧૬ વર્ષીય બાળક નુરી પાર્ક શેરી ૧,૪ર વર્ષીય યુવાન નુરી પાર્ક શેરી ૧માં કોરોના પોઝીટીવ આવ્યો છે. જોકે હજુ કલેકટરે સત્તાવાર જાહેરાત કરી નથી પરંતુ બિનસત્તાવાર પાંચ કેસ આવી ગયા છે.

ગઇકાલે ર વ્યકિતના મોત થયા હતા જો કે આ બન્ને વ્યકિતનો અન્ય બિમારી પણ હતી. અને કોરોના રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો કોરોના પોઝીટીવ દર્દીના સંપર્કમાં અવેલા લોકોનું મેડિકલ ચેકઅપણ કરવામાં આવી રહ્યું  છે.

(3:14 pm IST)