Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સુરેન્દ્રનગરમાં પાણી પ્રશ્ને લત્તાવાસીઓમાં આક્રોશ

કલેકટરને આવેદનપત્ર પાઠવીને બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારના લોકોની રાવ

વઢવાણ તા. ૨૪ : સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડની પાછળ રહેતા લત્તાવાસીઓએ કલેકટરશ્રીને પત્ર પાઠવીને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી કરી છે.

આવેદનપત્રમાં વધુમાં જણાવ્યુ હતુ કે, બસ સ્ટેન્ડ પાછળના વિસ્તારમાં રહેતા લોકો ઘણા સમયથી પાણીની સમસ્યા સતાવે છે જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

આ વિસ્તારમાં પાણીની પાઇપ લાઇનનું જોડાણ આપવામાં આવતુ નથી અને અમને પાણીની જરૂરિયાત નથી તેમ કહીને દેવીપુજક પરિવારનું અપમાન કરવામાં આવે છે.

આ ઉપરાંત અહી રસ્તાનો પ્રશ્ન પણ હલ કરવામાં આવ્યો નથી. તેથી તાકિદે યોગ્ય કરવા અંતમાં લત્તાવાસીઓએ જણાવ્યું છે.(૪૫.૬)

(10:39 am IST)