Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

સરકારની નિષ્ક્રિયાથી દલિતો પર હુમલા કરવાની ચરબી ચડી છે :જીજ્ઞેશ મેવાણી

 

રાજકોટના શાપરના દલિત યુવકની મારા મારીને કરવામાં આવેલી હત્યા બાદ વડગામના અપક્ષ ધારાસભ્ય તેમજ દલિત નેતા જિગ્નેશ મેવાણીએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી. વેળાએ જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યું સરકારે કોઈ એવા પગલા નથી લીધા જેના કારણે એવો સંદેશ જાય કે આદિવાસી, મુસ્લિમ અને દલિતો પર અત્યાચાર થશે તો અમે ફિટ થઈ જઈશું. આથી જાતિવાદી તત્વોને દલિતો પર હુમલા કરવાના ચરબી ચડી છે.

(9:40 pm IST)