Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

જૂનાગઢ પંચહાટડી ચોક વિસ્તારનાં શાકભાજીના ફેરીયા માસ્ક-ગ્લોઝનો ઉપયોગ કરતા નથી

આ અંગે યોગ્ય કરવા પૂર્વ કોર્પોરેટર અનિલ જૈન દ્વારા કલેકટર, મ્યુ. કમિશ્નરને રજુઆત

જૂનાગઢ,તા.૨૪: જૂનાગઢ પંચહાટડી ચોક વિસ્તારમાં આવેલી શાકમાર્કેટ શાક વિતરણો, ફ્રુટ વિતરણો વેચાણ માટે ઉભા રહે છે. તેઓ માસ્ક પહેરતા નથી, ગ્લોઝ પહેરતા નથી, સેનેટાઇઝરનો ઉપયોગ કરતા નથી સોશ્યલ ડીસ્ટન્સ્ટનો અમલ કરતા નથી, વાહનમાં બે બે સવારીઓ બેસીને આવે જાય છે. આમ તમામ નિયમોની જાળવણી થતી નથી.વિવિધ સમસ્યાને તાકિદે ઉકેલવા યુર્વ કોર્પોરેટર અનિલ ઉદાણી દ્વારા કલેકટર, મ્યુ.કમિશ્નરને રજુઆત કરેલ છે.

(1:06 pm IST)