Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

ધ્રાંગધ્રાનાં અંકેવાડીયામાં યુવતિનો મૃતદેહ કુવામાંથી મળ્યોઃ હત્યા કે આત્મહત્યા?

વઢવાણ તા. ર૪ :.. ધ્રાંગધ્રા તાલુકાનાં અંકેવાડીયા ગામની સોનલબેન ભીમાભાઇ નામની રપ વર્ષની યુવતીનો મૃતદેહ કુવામાંથી મળતા આત્મહત્યા કે હત્યા છે ? તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ ધ્રાંગધ્રાના અંકેવાડીયાના ભીમાભાઇની પુત્રી સોનલબેન (ઉ.રપ) લઘુશંકા કરવા ઘરેથી બહાર નીકળી  હતી. ત્યારબાદ કલાકો સુધી તે યુવતિ પાછી ન ફરતા પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી.

થોડા સમય બાદ તેની બંગડીના ટૂકડા કુવા કાંઠેથી મળી આવતા કુવામાં તપાસ કરતા તેનો મૃતદેહ કુવામાંથી મળી આવ્યો હતો.

પોલીસે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલે મૃતદેહને ખસેડીને ધ્રાંગધ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(12:56 pm IST)