Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

મોરબી : ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૪૯ વિદ્યાર્થીઓ ગેરહાજર

 

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૪ : ધોરણ ૧૨ની સામાન્ય પ્રવાહમાં ગુરૃવારે મનોવિજ્ઞાન, અંગ્રેજી અને સમાજશાસ્ત્રમનું પેપર લેવામાં આવ્યું હતું જેમાં જીલ્લામાં કુલ ૪૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.

મોરબી જીલ્લામાં ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં મનોવિજ્ઞાન વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમના ૪૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જયારે અંગ્રેજી વિષયમાં અંગ્રેજી માધ્યમના ૦૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને સમાજ શાસ્ત્રમ વિષયના પેપરમાં ગુજરાતી માધ્યમનો ૦૧ વિદ્યાર્થી મળીને કુલ ૪૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જયારે મોરબી જીલ્લામાં ૩૩૩૦ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.

ધોરણ ૧૦ની પરીક્ષામાં ૩૧૨ પરીક્ષાર્થીઓ ગેરહાજર રહ્યા

મોરબીમાં ગુરુવારે ધોરણ ૧૦ માં સામાજિક વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન વિષયના પેપરમાં કુલ ૩૧૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બોર્ડની પરીક્ષામાં  ધોરણ ૧૦ માં સામાજિક વિજ્ઞાન પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૩૧૦ અને અંગ્રેજી માધ્યમમાં ૦૧ મળીને ૩૧૧ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જયારે ૧૧૯૦૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેમજ સામાજિક વિજ્ઞાનમ (સંસ્કૃત પ્રથમા) વિષયના પેપરમાં ૦૧ વિદ્યાર્થી ગેરહાજર રહ્યો હતો અને ૧૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી આમ મોરબી જીલ્લામાં કલ ૧૧,૯૧૪ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જયારે ૩૧૨ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા

(1:15 pm IST)