Gujarati News

Gujarati News

News of Friday, 24th March 2023

હજુ સુરેન્‍દ્રનગર જીલ્લામાં કોરોનાના કુલ ૮ કેસ એકટીવ

વઢવાણ,તા.૨૪: સુરેન્‍દ્રનગર જિલ્લામાં ગુરૂવારે ૨૯૪ લોકોના ટેસ્‍ટ કરાતા મુળીના ગ્રામ્‍ય વિસ્‍તારમાં એક કોરોના કેસ નોંધાયો હતો. આ દિવસે એક દર્દી કોરોનામુક્‍ત બનતા રજા અપાઇ હતી. અને ૨૯૪ ના ટેસ્‍ટ અને ૩૨૦ લોકોએ બુસ્‍ટર ડોઝ લીધો હતો. આમ જિલ્લામાં કુલ ૨૬૭ માંથી ૨૫૯ દર્દી સાજા થતા હાલ ૮ એકટીવ કેસ રહ્યા હતા. સુરેન્‍દ્રનગર જિલ્લામાં તા. ૧૧ માર્ચે કોરોના કેસ સામે આવ્‍યા બાદ સતત કોરોના કેસ નવા સામે આવી રહ્યા છે.ત્‍યારે તા.૨૩ માર્ચને ગુરૂવારે આરટીપીસીઆરના ૧૯૬ અને એન્‍ટિજનના ૯૮ સહિત કુલ ૨૯૪ લોકોના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા હતા.

જેમાં મુળીના ગ્રામ્‍ય વિસ્‍તારમાં એક કોરોના પોઝિટીવ કેસ સામે આવ્‍યો હતો.જ્‍યારે એક વ્‍યકિત સાજી થઇ જતા મુક્‍ત કરવામાં આવ્‍યા હતા. આમ જિલ્લામાં કુલ ૨૬૭માંથી ૨૫૯ દર્દી સાજા થતા હાલ કુલ ૮ એક્‍ટીવ કેસ રહ્યા હતા. જ્‍યારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં ગુરૂવારે ૩૨૦ લોકોએ બુસ્‍ટર ડોઝ લેતા કુલ ૩૭,૩૮,૮૫૨ લોકોનું રસીકરણ થયુ હતુ. આ રસીકરણમાં -થમ ડોઝ ૧૪,૮૧,૮૩૭ લોકોએ અને બીજો ડોઝ ૧૬,૦૧,૫૮૬ લોકોએ લીધો હતો. જ્‍યારે ૬,૫૫,૪૨૯ લોકોએ બુસ્‍ટર ડોઝ લીધો હતો.

(11:52 am IST)