Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2019

મોરબીથી રાજકોટ જતી ઇન્ટરસીટીમાં વૃદ્ધને અચાનક પેરાલીસીસ અટેક આવ્યો: મુસાફર પાસે વિકલાંગ ઓળખપત્ર પણ મળી આવ્યું

  મોરબી:  મોરબીથી રાજકોટ જતી ઇન્ટરસીટી બસમાં આજે બપોરના સુમારે એક વિકલાંગ ઓળખપત્ર કાર્ડ ધરાવતા મુસાફને અચાનક પેરાલીસીસ અટેક આવ્યો હતો જેને પગલે સૌ મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને તાકીદની સારવારની જરૂરિયાત હોય જેથી મુસાફરને તુરંત ૧૦૮ મારફત રાજકોટ હોસ્પિટલ ખસેડાયા છે

        બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીથી રાજકોટ જતી ઇન્ટરસીટી બસ નં જીજે ૧૮ ઝેડ ૪૪૯૮ માં એક વિકલાંગ વૃદ્ધ મુસાફરી કરી રહ્યા હતા અને બસ મારવાડી યુનીવર્સીટી નજીક પહોંચી ત્યારે ઓચિંતા પેરાલીસીસ અટેક આવ્યો હતો જેને પગલે બસના ડ્રાઈવર, કંડકટર તેમજ મુસાફરોએ હાથ પગ દબાવવા સહિતની તાકીદની કામગીરી કરી હતી પરંતુ વૃદ્ધ ભાનમાં ના હોય અને તાકીદે હોસ્પિટલ લઇ જઈને સારવારની જરૂરિયાત હોય જેથી તુરંત ૧૦૮ ને ફોન કરવામાં આવ્યો હતો અને વિકલાંગ વૃદ્ધને હોસ્પિટલ ખસેડાયા હતા

        તેની પાસેથી ઓળખપત્ર મળી આવ્યું હતું જેમાં એસટી દ્વારા મફત મુસાફરી માટેના વિકલાંગ ઓળખપત્રમાં વૃદ્ધ કનુભાઈ તળશીભાઈ વાઘરી ઉ.વ. ૫૫ હોવાનું જાણવા મળ્યું છે જોકે તેની સાથે કોઈ મુસાફરી કરતુ ના હોય જેથી બસમાં સવાર અન્ય મુસાફરો પણ મૂંઝાયા હતા અને વૃદ્ધના પરિવારજનો સાથે તેનો જલ્દી ભેટો થાય તેવી પ્રાર્થના કરી હતી તેમજ બીમાર વૃદ્ધના સગા સ્નેહીઓએ તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવ્યું છે

(11:41 am IST)