Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ધોરાજી રામપરા માલધારી સમાજ દ્વારા બે દિવસીય રામદેવજી મહારાજનો સવરા મંડપ મહોત્સવ

ધોરાજી, તા.૨૩ : રામપરા સમસ્ત માલધારી સમાજ દ્વારા તા.૩૦ શુક્રવાર તા.૩૧ શનિવાર બે દિવસીય રામદેવજી મહારાજનો સવરા મંડપ મહોત્સવ ઉજવાશે જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

બે દિવસીય મંડપ લાખાભાઇ જેઠાભાઇ રબારીની વાડી રામપરા નદીની સામે બાઇપાસ ઉપલેટા હાઇવે રામપરા ખાતે શ્રી રામદેવજી મહારાજનો સવરા મંડપ મહોત્સવનંુ આયોજન કરેલ છે.

તા.૩૦ ને શુક્રવારના રોજ ૯ કલાકે સંતવાણી લોકડાયરાનંુ આયોજન કરેલ છે. જેમાં રશ્મીતાબેન રબારી, માયાબેન દુધરેજીયા, વિજયધન ગઢવી વિગેરે કલાકારો રમજટ બોલાવશે.

તા.૩૧ ને શનિવારના રોજ રામદેવજી મહારાજનો સવરા મંડપ વૈદીક સાથે મહોત્સવનો સવારથી પ્રારંભ થશે. જેમાં વડવાળા મંદિર દુધરેજના મહામોલેશ્વર કનિરામદાસ બાપુ જયવાડી નાથ થરાના મહંત ઘનશ્યામપુરી બાપુ, પરબધામના મહંત કરશનદાસબાપુ, લઘુમહંત રાજેન્દ્રદાસ બાપુ, સંત માનસરોવર દાસ બાપુ, ગાદીપતિ અશોકબાપુ વિગેરે સંતો મહંતો સૌરાષ્ટ્ર ભરમાંથી ઉપસ્થિત રહી આર્શીવાદ પાઠવશે.

સમસ્ત માલધારી સમાજના આંગણે સૌપ્રથમવાર યોજાતા શ્રીરામદેવજી મહારાજના સવરા મંડપ મહોત્સવને સફળ બનાવવા માટે માલધારી સમાજ ધોરાજીના દાનાભાઇ, લાખાભાઇ, નાજાભાઇ, મીઠાભાઇ, હરદાસભાઇ, રામાભાઇ વિગેરે માલધારી સમાજ જહેમત ઉઠાવી રહયા છે.

(11:43 am IST)