Gujarati News

Gujarati News

News of Monday, 24th February 2020

સાયલાના વખતપરની સીમમાં સાળી - બનેવીનો આપઘાત

બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાથી એક ન થઇ શકવાના ડરથી મોત મીઠું કરી લીધુ

વઢવાણ તા. ૨૪ : સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મહત્યા તેમજ અપમૃત્યુના બનાવો વધી રહ્યા છે ત્યારે સાયલા તાલુકાના વખતપર ગામની સીમમાં આવેલ એક ઓરડીમાંથી બે યુવક-યુવતીની લાશ મળી આવી હતી. જે અંગેની જાણ આસપાસના લોકોને થતાં આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી.ઙ્ગ

સાયલા તાલુકાના વખતપર ગામની સીમમાં આવેલ ઓરડીમાં યુવક-યુવતીની લાશ હોવાની જાણ આસપાસ પસાર થતા લોકોને થતાં ટોળેટોળા ઉમટી પડયા હતાં. જ અંગે સાયલા પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી અને જયારે બંનેને લાશ પાસેથી ઝેરી દવાની બોટલ પણ મળી આવી હતી. આથી બંન્નેએ સજોડે દવા પીને આત્મહત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. તેમજ વધુ તપાસ કરતાં મૃતક યુવાન વિક્રમભાઈ મશરૂભાઈ સાપરાઙ્ગ રહે. કાશીપરા તા.સાયલાવાળો અને યુવતી વર્ષાબેન લાભુભાઈ મેમકીયા રહે. ગુંદીયાળા, તા.વઢવાણવાળા હોવાનું બહાર આવ્યું હતું તેમજ વધુ પૂછપરછ અને તપાસ કરતાં બંન્ને મૃતકો સગા બનેવી અને સાળી થતાં હોવાનું પણ જણાઈ આવ્યું હતું અને બન્ને વચ્ચે પ્રેમસંબંધ હોવાથી એક ન થઈ શકતા આત્મહત્યાનું પગલું ભર્યુ હોવાની આશંકાઓ હાલ સેવાઈ રહી છે.ઙ્ગ

જયારે લોકમુખે થતી ચર્ચા મુજબ મૃતક વર્ષાબેનના લગ્ન થોડા દિવસો પહેલા જ ચુડા તાલુકાના મોરવાડ ગામે સમૂહલગ્નમાં વરસાણી ગામના નિકુલ પાંચાભાઈ મેણીયા સાથે હોવાનું બહાર આવ્યું હતું. જયારે આ અંગેની જાણ બન્નેના પરિવારજનોને થતાં ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને લાશને પી.એમ. અર્થે હોસ્પીટલે ખસેડવાની તજવીજ હાથ ધરીઙ્ગ હતી. જયારે બન્નેના મોતથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

(11:09 am IST)