Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

હળવદના ચાડધ્રા અને મિયાણીના ખેડૂતોને નર્મદાનું પાણી આપો

(દિપક જાની દ્વારા) હળવદ :  તાલુકાના ચાડધ્રા અને મીયાણી ગામના ખેડૂતોએ હળવદ ખાતે આવેલ નર્મદા વિભાગની ઓફિસ ખાતે કેનાલનું પાણી આપવા ઉગ્ર માંગ કરી હતી. હળવદમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલ થકી ૧૯-નંબર શાખા કેનાલ છેક અજીતગઢ સુધી લંબાવવામાં આવી છે જેથી વચ્ચે આવતા ગામોના ખેડૂતો પાણી લઈ શકે પરંતુ આ શાખા કેનાલ નું પાણી રાયશીંગપુર સુધી જ પહોચતુ હોવાને કારણે ચાડધ્રા અને મિયાણીના ખેડૂતોને પાણી ન મળતું હોય જેથી હાલ ખેડૂતોએ જીરૂ,ઘઉં,રાયડા સહિત શીયાળુ પાકનું વાવેતર કર્યું છે પરંતુ છેલ્લા એકાદ મહિનાથી નર્મદાનું પાણી ન મળતાં ખેડૂતોએ હળવદ શહેરમાં આવેલ નર્મદા વિભાગની ઓફિસ ખાતે દોડી આવી હોબાળો મચાવ્યો હતો. સાથે જ માંગ પણ કરી હતી કે વહેલામાં વહેલી તકે પણી આપવામાં આવે છે જેથી શિયાળુ પાકનું વાવેતર કર્યું છે તે બચી શકે.

(11:12 am IST)