Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ખાંભા તાલુકામાં પુલનું ખાતમુહૂર્ત

રાજુલા : ખાંભા તાલુકાના (૧) જામકાથી આંબલિયાળા તથા(૨) પીપરિયાથી બેડીયા જવાના રસ્તે વ્યવસ્થિત રીતે ચોમાસા માં ચાલી શકાયએ માટે કોઝવેમાંથી પુલ બનાવવા માટે રાહદારીઓની માંગ હતી જે સંદર્ભે આ બન્ને પુલ પાસ કરાવીને ખાતર્મુહુત આગેવાનો તથા ગ્રામજનોની ઉપસ્થિતિમાં કર્યું. આ કાર્યક્રમ દરમ્યાન એક વડીલ એવું બોલ્યા કે આ ખાંભા તાલુકો બે વિધાનસભામાં વહેંચાયેલો હોવાથી કોઈ સામું જોતું ના હતું પણ હવે એવું નથી , એ વાત સાંભળીને મને વિશેષ ખુશી થઈ અને પ્રતીતિ પણ થઈ કે આવા ભરોસાના લીધેજ કદાચ ધારાસભ્ય પદ સુધી પહોંચાયું હશે. (તસ્વીર-અહેવાલ : શિવકુમાર રાજગોર-રાજુલા)

(10:02 am IST)