Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

બગસરામાં લોહાણા મહાજન આયોજીત પદયાત્રામાં ૧૪૦ મહિલા-પુરૂષો જોડાયા

સમસ્ત લોહાણા સમાજ આયોજીત

બગસરા તા.ર૩: બગસરામાં લોહાણા મહાજન દ્વારા બગસરાથી વીરપુર સુધીની ૧૧મી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પદયાત્રામાં ૧૪૦થી વધુ મહિલા પુરૂષો જોડાયા હતા.બગસરાથી વહેલી સવારે આ પદયાત્રા ઉપડી હતી અને ત્યારબાદ માવજીંજવા, તોરી, વડીયા અને છેલ્લે દેવળકી વિશ્રામ લીધો હતો.  બીજે દિવસે સાંજે આરતી સમય પદયાત્રા પહોંચી હતી. આરતી અને મહાપ્રસાદ લઇ રીટન થશે.સમસ્ત લોહાણા સમાજ દ્વારા દર વર્ષે આ સુંદર આયોજન કરવામાં આવે છે તેમ સમસ્ત લોહાણા સમાજ બગસરાના પ્રમુખ ભીખુભાઇ સેંજપાલની યાદીમાં જણાવેલ છે.

(12:03 pm IST)