Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

ધોરાજીના મોટી મારડમાં ગોડાઉનની દિવાલ પડતા નરશીભાઇ ભેંસદળીયાનું મોત

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી તા. ૨૩ : ધોરાજીના મોટી મારડ ગામે ગોડાઉનની જર્જરીત દિવાલ પડતા ગોડાઉનના માલીકનું જ કરૂણ મોત અને તેના ભાણેજને ગંભીર ઇજાઓ થતા જૂનાગઢ રીફર કરાયા.

મોટી મારડમાં આવેલ જુની મીલના મકાનમાં વિજય ટ્રેડીંગ નામની દુકાન ધરાવતા વિજયભાઇ નરશીભાઇ ભેંસદળીયાનું ખેતીના માલ-સામાન ભરવાનું ગોડાઉનની દિવાલ સાંજે પાંચેક વાગ્યાના અરસામાં ધરાશાય થયેલ અને એ સમયે ગોડાઉનમાં ધાણાનો સામાન ભરવા ટેમ્પો ભરાવતા નરશીભાઇ જમનાદાસભાઇ ભેંસદડીયાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને મોટી મારડ સરકારી દવાખાને સારવારમાં લઇ જતા સારવાર દરમિયાન કરૂણ મોત થયેલ અને ગંભીર ઇજાઓ થયેલ. ભાણેજને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કર્યા હતા. આ બનાવ અંગે પાટણવાવના બીટ જમાદાર હર્ષદાનભાઇ તપાસ ચલાવી રહેલ છે.

(10:18 am IST)