Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

ચોટીલામાંથી છાત્રાનું અપહરણ કરનાર ધવલ ત્રિવેદી ઝડપાયો નથી

રાજકોટ તા ૨૩ : સુરેન્‍દ્રનગર જીલ્લાના ચોટીલામાંથી વિદ્યાર્થીનીનું અપહરણ કરનાર શિક્ષક ધવલ ત્રિવેદી હજુ સુધી ઝડપાયો નથી. ગઇકાલે તા.૨૨-૧૧-૧૮ ના ‘‘અકિલા'' દૈનિકમાં વઢવાણના પ્રતિનીધીશ્રીને વિશ્વાસપાત્ર વર્તુળોમાંથી મળ્‍યા હતા કે , ‘ચોટીલામાંથી છાત્રાનું અપહરણ કરનાર ધવલ ત્રિવેદી ઝડપાયો' જો કે આ શિક્ષક હજુ સુધી પકડાયો નથી.

છાત્રાના પિતાએ અપહરણ કરી જનાર શિક્ષક ધવલ ત્રિવેદીનો પતો આપનારને રૂા ૧ લાખના ઇનામની જાહેરાત કરી છે.અપહરણકાર ધવલ ત્રિવેદીની માહિતી કોઇ પાસે હોય તો ચોટીલા પોલીસ સ્‍ટેશનના ફોન નં. ૦૨૭૫૧ ૨૮૦૩૨૩ લીંબડી ડી.વાય.એસ.પી. મો. ૯૯૭૮૪ ૦૭૮૯૬, ચોટીલા પોલીસ ઇન્‍સ્‍પેકટર પી.ડી. પરમાર મો.નં. ૯૮૨૫૮ ૨૦૭૭૨ અથવા છાત્રાના પિતાના મો.નં. ૬૩૫૧૯ ૬૪૩૬૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:23 pm IST)