Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

શ્રી સોમનાથ મહાદેવના દર્શને નિતીનભાઇ પટેલ

વેરાવળ-પ્રભાસ પાટણઃ પ્રથમ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવનાં સાનિધ્યે તા. રર-૧૧-૧૮નાં રોજ ગુજરાતનાં ના. મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલ શ્રી સોમનાથ મહાદેવનાં દર્શન જલાભીષેક કરી શીશ ઝુકાવી ધન્યતા અનુભવી ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજર ના. મુખ્યમંત્રીને શાલ ઓઢાડી અને સોમનાથ મહાદેવનું સ્મૃતિચિન્હ આપી સન્માન કરવામાં આવેલ. ના. મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલએ સોમનાથ પરીસરમાં આવેલ સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરેલ હતી.

(11:56 am IST)