Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

પોરબંદરમાં કોરોનાના નવા ૩ કેસઃ એકનું મૃત્યુ

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર, તા., ૨૩: કોરોના પોઝીટીવના નવા ૩ કેસ આવ્યા છે. જયારે પોરબંદરના પતિ-પત્નીની કોરોનાની જામનગરમાં સારવાર દરમિયાન પતિનું મૃત્યુ થયેલ છે. પત્નીની હાલત સુધારા ઉપર છે.

શહેરમાં પતિ-પત્નિની કોરોનાની સારવાર દરમિયાન તબીયત બગડતા વધુ સારવાર માટે જામનગર ખસેડાયેલ હતા જેમાં પતિનું મૃત્યુ થયેલ છે. પત્નીની હાલત સુધારા ઉપર છે. કોરોનાના નવા ૩ પોઝીટીવ કેસ રાણાવાવ અને કુતિયાણામાંથી આવેલ છે. એક કોરોનાનો દર્દી સારવારમાં સાજા થતા તેમને હોસ્પીટલમાંથી રજા અપાઇ છે. અત્યાર સુધીમાં કુલ ૬૭પ દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવેલ છે. હાલ જિલ્લામાં ૩પ દર્દી કોરોનાની સારવાર લઇ રહેલ છે.

(12:51 pm IST)