Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

ઉનામાં સરકારી ગાઇડ લાઇન્સ મુજબ માતાજીની ભકિતઃ કાલે વિવિધ ગરબી મંડળો દ્વારા યજ્ઞ

ઉના તા. ર૩ :.. શરદીય નવરાત્રીનાં નવલા નોરતામાં કોવડી-૧૯ કોરોના વાયરસનાં જાહેરનામા બદલ સરકારી ગાઇડ લાઇન્સ મુજબ શાંતિપૂર્વક ઉનામાં આવેલ ગાયત્રી માતાજીને મંદિરે ગાયત્રી ગરબી મંડળ એ. સી. ગ્રુપ દ્વારા ભૂતડા દાદા ગરબી મંડળ, કનકાઇ માતાજીનાં મંદિર, ત્થા વિવિધ ગરબી મંડળમાં માતાજીના ગરબો મુકી પુજા - અર્ચના, આરતી કરી બેઠા ગરબા ગાઇ નવરાત્રી પર્વ ઉજવી રહયા છે.

અંતીમ ચરણોમાં ગાયત્રી માતાજીના મંદિરે હોમાત્મક યજ્ઞ ત્થા અન્ય જગ્યાએ આમોદ્રામાં રાંદલ માતાજીના મંદિરે તથા દેલવાડામાં શ્રી કનકેશ્વરી માતાજીનાં મંદિરે હવનાષ્ટમી નીમિતે ર૪ -ને શનીવારે હોમાત્મક નવચંડી યજ્ઞ સવારે પ્રારંભ કરાશે અને સાંજે ૪ કલાકે બીડા હોમ યોજાશે તેમાં પણ દર્શને આવનાર ભકતોએ માસ્ક પહેરી, સોશ્યલ ડીસ્ટન્સ રાખી. સેનીટાઇઝરનો ઉપયોગ કરી આવવા આયોજકોએ જણાવેલ છે.

(10:52 am IST)